
મેજિસ્ટ્રેટ જેનો નિકાલ ન કરી શકે તે કેસોમાં અનુસરવાની કાયૅરીતિ
(૧) કોઇપણ જિલ્લામાં મેજિસ્ટ્રેટ સમક્ષની ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન પુરાવા ઉપરથી પોતાને નીચે પ્રમાણે માની લેવા જેવું જણાય તો તેણે કાયૅવાહી સ્થગિત કરીને પોતે જેની સતા નીચે હોય તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ આદેશ કરે તેવા હકૂમત ધરાવતા બીજા મેજિસ્ટ્રેટને કેસના સ્વરૂપની સમજૂતી આપતા ટૂંકા રિપોટૅ સાથે તે કેસ સાદર કરવો જોઇશે.
(એ) કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવાની પોતાને હકૂમત નથી અથવા
(બી) તે કેસ એવો છે કે જિલ્લાના બીજા કોઇ મેજિસ્ટ્રેટે તેની ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇએ અથવા ઇન્સાફી કાયૅવાહી માટે તેને કમિટ કરવો જોઇએ અથવા
(૨) જેને કેસ સાદર કરવામાં આવ્યો હોય તે મેજિસ્ટ્રેટ તેમ કરવાની સતા ધરાવતા હોય તો તે કેસની ઇન્સાફી કાયૅવાહી જાતે કરી શકશે અથવા તે કેસ પોતાની સતા નીચેના હકૂમત ધરાવતા કોઇ મેજિસ્ટ્રેટને નિણૅયાથૅ મોકલી શકશે અથવા આરોપીને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરી શકશે.
Copyright©2023 - HelpLaw